Home તાજા સમાચાર gujrati દેવભૂમિ દ્વારકા : ખેડૂતો અને પશુપાલકોએ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી...

દેવભૂમિ દ્વારકા : ખેડૂતો અને પશુપાલકોએ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી – ન્યૂઝ અપડેટ

6
0

Source : BBC NEWS

દેવભૂમિ દ્વારકા, ખેડૂતો અને પશુપાલકોએ દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કરી માંગ

ઇમેજ સ્રોત, sachin pithva

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની અછતને પગલે હવે જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ઊઠી છે.

ભારતીય કિસાન સંઘના દ્વારકા તાલુકા પ્રમુખ જેસલભા સુમણિયા જણાવ્યું કે અમે દ્વારકાના પ્રાંત ઑફિસરને આ રજૂઆત કરી હતી કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 5 થી 10 ટકા જેટલો વરસાદ છે જે પૂરતો નથી, તેથી દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવામાં આવે પશુઓ માટે પૂરતા પ્રમાણમાં ઘાસચારો અને પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે

તેમણે કહ્યું, હવે વરસાદ થાય તો પણ ખરીફ પાકની સિઝન જતી રહી છે, આવનારું આખું વર્ષ આ ખેડૂતો માટે કપરું રહેવાનું છે.

ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલીઓ વધતી હોવાનો ઉલ્લેખ કરી સરકાર સમક્ષ વિવિધ માંગણીઓ કરવામાં આવી છે.

પશુઓ માટે પૂરતો ઘાસચારો ઉપલબ્ધ કરાવવા, ચરિયાણની જમીન બચાવવા સહિતના મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની મુખ્ય માંગ કરવામાં આવી છે સાથે જ પશુઓ માટે પૂરતા પ્રમાણમાં ઘાસચારો ઉપલબ્ધ કરાવવામાં આવે અને ખેડૂતો તથા પશુપાલકોને જરૂરી સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે.

ઉત્તરાખંડ: નિર્માણાધીન સુરંગમાં બચાવ કામગીરી ચાલુ, અત્યાર સુધીમાં 4 મૃતદેહ મળી આવ્યા

ઉત્તરાખંડ: નિર્માણાધીન સુરંગમાં બચાવ કામગીરી ચાલુ, અત્યાર સુધીમાં 4 મૃતદેહ મળી આવ્યા

ઇમેજ સ્રોત, ANI

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના પીપલકોટી ખાતે ટીએચડીસીની નિર્માણાધીન સુરંગમાં પાણી અને કાટમાળથી ભરાઈ ગયા બાદ રેસ્ક્યૂ અભિયાન ચાલી રહ્યું છે.

એનડીઆરએફના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ચાર મૃતદેહો મળી આવ્યા છે. સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર, અકસ્માતમાં સાત લોકોનાં મોત થયાં છે અને 11 લોકો ઘાયલ થયા છે.

ગુરુવારે સાંજે પીપલકોટીમાં ટિહરી હાઇડ્રો ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિમિટેડ (ટીએચડીસી)ની નિર્માણાધીન ટનલમાં કાટમાળ અને પાણી ઘૂસી ગયાં હતાં.

એનડીઆરએફ કમાન્ડર અમૃતલાલ મીણાએ જણાવ્યું હતું કે “જ્યારે ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી, ત્યારે ટનલ અતિશય પાણીથી ભરેલી હતી અને કિનારીઓમાંથી પાણી સતત ટપકતું હતું. આ પછી પાણીનું સ્તર વધારે વધ્યું હતું.”

તેમણે કહ્યું, “એનડીઆરએફના જવાનોએ અત્યાર સુધીમાં વિશેષ ઉપકરણોની મદદથી હજુ સુધીમાં ચાર મૃતદેહો પાણીમાંથી બહાર કાઢ્યા છે. રેસ્ક્યૂ ઑપરેશન હજુ પણ ચાલુ છે અને જ્યાં સુધી સુરંગમાં ફસાયેલા બધા લોકોને બચાવી લેવામાં ન આવે ત્યાં સુધી ચાલુ રહેશે.”

ટીએચડીસી પ્રોજેક્ટ હેડ અજય વર્માએ જણાવ્યું હતું કે , “આ અકસ્માત ટનલ પોર્ટલથી લગભગ બે કિલોમીટર અંદર થયો હતો. તે સમયે લગભગ 20થી 22 લોકો ટનલની અંદર કામ કરી રહ્યા હતા.”

“અચાનક, પાણીનો સ્ત્રોત ફાટ્યો અને પાણી ખૂબ જ ઝડપથી ટનલમાં ઘૂસી ગયું. કેટલાક લોકો પાણીના પ્રવાહ સાથે બહાર નીકળીને સુરક્ષિત રીતે બચવામાં સફળ રહ્યા, જ્યારે કેટલાક લોકો હજુ પણ અંદર ફસાયેલા છે. તેમને બહાર કાઢવા માટે બચાવ કામગીરી ચાલુ છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS