Source : BBC NEWS
ઇમેજ સ્રોત, RSS
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ
નેપાળના રસુવા જિલ્લાના ભોટે કોશી નદીમાં આવેલા પૂરને કારણે દેશના અલગ-અલગ જિલ્લામાં ઓછામાં ઓછા 17 મૃતદેહો મળી આવ્યા છે.
નેપાળ પર્યટન બોર્ડે જણાવ્યું છે કે 291 વિદેશીઓ સહિત 384 પર્યટકો સાથે સંપર્ક નથી.
નેપાળ પર્યટન બોર્ડે જણાવ્યું, વિભિન્ન ટ્રાવેલ એજન્સીઓ દ્વારા આપવામાં આવેલી જાણકારીઓ અનુસાર આ પૂરને કારણે 291 વિદેશી પર્યટકો અને 93 નેપાળી નાગરિકો લાપતા છે અને તેમની સાથે સંપર્ક નથી થઈ રહ્યો. જેમાં 100થી વધુ પર્યટકો ભારતીય છે.
બુધવારે વહેલી સવારે નેપાળની રાજધાની કાઠમાંડૂના ઉત્તરમાં સ્થિત રસુવા વિસ્તારમાં ભયંકર પૂર આવ્યું છે. આ વિસ્તાર તિબેટથી લાગેલો છે અને ચીન સાથે નેપાળના મુખ્ય વ્યાપારના માર્ગમાં આવે છે.
અધિકારીઓનું માનવું છે કે તિબેટથી નેપાળ તરફ વહેનારી ભોટે કોશી નદીમાં પડેલો બરફ પિઘળવાને કારણે આ પૂર આવ્યું હતું. આ સાથે ત્રિશૂલી નદીમાં પણ પૂર આવ્યું છે.
નદીના વહેણના વિસ્તારમાં સ્થિત જિલ્લામાં હાઇ ઍલર્ટ જારી કરવામાં આવ્યું છે. રસુવાના મુખ્ય જિલ્લા અધિકારી નરેન્દ્ર પરિયારે બીબીસી ન્યૂઝ નેપાળીને જણાવ્યું કે અધિકારીઓને ભારે નુકસાનની આશંકા છે.
હાલ નુકસાનનું આકલન કરવાનું બાકી છે.
ઇમેજ સ્રોત, Shaktimaya Tamang
ઇમેજ સ્રોત, RSS
ઇમેજ સ્રોત, Reuters
ઇમેજ સ્રોત, Lenin Ranjit
ઇમેજ સ્રોત, RSS
ઇમેજ સ્રોત, RSS
ઇમેજ સ્રોત, RSS
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




