Source : BBC NEWS

ડીએનએ પરીક્ષણ શું છે કેમ કરવામાં આવે, ડીએનએ પરીક્ષણ ક્યારે અને કેવી રીતે કરવામાં આવે, ઍર ઇન્ડિયાનું વિમાન એઆઈ 171 દુર્ઘટના, અમદાવાદથી લંડનની ફ્લાઇટ, બીજે મેડિકલ કોલેજ,  બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

14 જૂન 2025, 19:33 IST

અપડેટેડ 44 મિનિટ પહેલા

ઍર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ 171 અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ ખાતેથી ઉપડી હતી. તે હજુ ઉડાન ભરે તે પહેલાં જ તે ઍરપૉર્ટની બહારના વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી.

બૉઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન ગૅટવિક સુધી પહોંચવા માટે લગભગ એક લાખ લીટર કરતાં વધુનું ઈંધણ લઈને ઉપડ્યું હતું, એટલે જ જ્યારે વિમાન અકસ્માતગ્રસ્ત થયું ત્યારે તે અગનગોળામાં ફેરવાઈ ગયું હતું.

વિમાન હજુ ટેક ઑફ જ કરી રહ્યું હોવાથી મુસાફર તેમની સીટો ઉપર જ હતા અને તેઓ પોતાની સીટ ઉપર જ મૃત્યુ પામ્યાં હતાં.

મૃતકોની ઓળખવિધિ થઈ શકે તે અમદાવાદ સિવિલ હૉસ્પિટલ ખાતે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જ્યાં મૃતકોના સ્વજનોના ડીએનએ લઈને તેમને સીટ ઉપરથી મળેલા મૃતદેહોના અવશેષ સાથે સરખાવવામાં આવશે.

ફરજ પરના કર્મચારીના જણાવ્યા પ્રમાણે, આ રિપોર્ટને તૈયાર થતાં 72 કલાક જેટલો સમય લાગશે.

ડીએનએ પરીક્ષણ શું છે કેમ કરવામાં આવે, ડીએનએ પરીક્ષણ ક્યારે અને કેવી રીતે કરવામાં આવે, ઍર ઇન્ડિયાનું વિમાન એઆઈ 171 દુર્ઘટના, અમદાવાદથી લંડનની ફ્લાઇટ, બીજે મેડિકલ કોલેજ,  બીબીસી ગુજરાતી

જ્યારે મૃતદેહ ખૂબ જ દાઝી ગયા હોય, તેમનો ચહેરો ઓળખી શકાય તેમ ન હોય, જમીનમાં દાટી દેવાયેલા મૃતદેહને લાંબા સમય પછી બહાર કાઢવામાં આવે અને તેની ઓળખવિધિ થઈ શકે તેમ ન હોય, તેવા સંજોગોમાં ડીએનએ પરીક્ષણ હાથ ધરવામાં આવે છે, જેથી કરીને મૃતકની ઓળખ પ્રસ્થાપિત કરી શકાય.

બીબીસી ગુજરાતીના જયદીપ વસંતે રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીની સ્કૂલ ઑફ બિહેવિયરલ સાયન્સિસ ઍન્ડ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન્સનાં (એસબીએસએફઆઈ) આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડૉ. અંકિતા પરમાર સાથે વાત કરીને સમગ્ર પ્રક્રિયાને સમજવાનો પ્રયાસ કર્યો હતો.

ડીએનએ પરીક્ષણ શું છે કેમ કરવામાં આવે, ડીએનએ પરીક્ષણ ક્યારે અને કેવી રીતે કરવામાં આવે, ઍર ઇન્ડિયાનું વિમાન એઆઈ 171 દુર્ઘટના, અમદાવાદથી લંડનની ફ્લાઇટ, બીજે મેડિકલ કોલેજ,  બીબીસી ગુજરાતી

ડીએનએ ટેસ્ટનો ઉપયોગ વ્યક્તિની આનુવંશિકતા અને ચોક્કસ ઓળખ મેળવવા માટે કરવામાં આવતો હોય છે.

ડૉ. અંકિતા પરમારનાં જણાવ્યા પ્રમાણે, “જ્યારે કોઈ દુર્ઘટનામાં વ્યક્તિનું મૃત્યુ થાય, ત્યારે ડીવીઆઈ એટલે કે ડિઝાસ્ટર વિક્ટિમ આઇડેન્ટિફિકેશન પ્રોફાઇલિંગ કરવામાં આવે છે. આ પ્રકારના સંજોગોમાં વ્યક્તિની ઓળખને પ્રસ્થાપિત કરવા માટે બે નમૂના હોવા જરૂરી છે.”

“આપણી લાળ, લોહી, વાળ, હાડકાં અને દાંતમાં ડીએનએ રહેલું હોય છે. વ્યક્તિ હયાત હોય તો તેનાં લાળ, લોહી કે વાળમાંથી ડીએનએ મેળવી શકાય છે. જો કોઈ વ્યક્તિનું આગથી મૃત્યુ થયું હોય અને જો મૃતદેહની ઓળખ થઈ શકે તેમ ન હોય, તો તેમનાં હાડકાં, દાંત કે બોનમેરોમાંથી ડીએનએ સૅમ્પલ લેવામાં આવે છે.”

જો સમગ્ર દેહને આગની અસર ન થઈ હોય, તો શરીરનો જે ભાગ સાબૂત હોય, ત્યાંથી ડીએનએના નમૂના લેવા માટે પ્રયાસ કરવામાં આવે છે.

ડૉ. અંકિતા પરમાર ઉમેરે છે, “મૃતક ઉપરાંત જે વ્યક્તિ સાથે ‘લોહીની સગાઈ’ હોય તેવાં પરિવારજન માતા-પિતા, પુત્ર-પુત્રી, ભાઈ-બહેન કે નજીકના પરિવારજનના નમૂનાને સરખાવવામાં આવે છે.”

ડીએનએનાં સૅમ્પલ મેળવવા માટે ફોરેન્સિક કિટ પણ આવે છે. વિદેશમાં આ પ્રકારની કિટ્સ ધંધાદારી રીતે ઉપલબ્ધ હોય છે, જેની મદદથી વ્યક્તિ પોતે પ્રાથમિક તારણ મેળવી શકે છે.

ડીએનએ પરીક્ષણ શું છે કેમ કરવામાં આવે, ડીએનએ પરીક્ષણ ક્યારે અને કેવી રીતે કરવામાં આવે, ઍર ઇન્ડિયાનું વિમાન એઆઈ 171 દુર્ઘટના, અમદાવાદથી લંડનની ફ્લાઇટ, બીજે મેડિકલ કોલેજ,  બીબીસી ગુજરાતી

ડીએનએ ટેસ્ટની મદદથી વ્યક્તિના પૂર્વજો કયા વિસ્તારમાંથી આવ્યા હતા, તેના વિશે માહિતી મેળવી શકાય છે. આ સિવાય આનુવંશિકતા વિશે પણ જાણકારી મેળવી શકાય છે.

ઉપરાંત સ્વાસ્થ્યના ક્ષેત્રે, ડીએનએ અને જેનેટિક ટેસ્ટિંગની મદદથી શરીરમાં જનીનો, રંગસૂત્રો અને પ્રોટિનમાં થતા ફેરફારો વિશે પણ જાણકારી મેળવી શકાય છે. ડીએનએ પરીક્ષણો થકી તમને કોઈ પ્રકારના જેનેટિક રોગનું જોખમ છે કે નહીં તે વિશે પણ જાણકરી મેળવી શકાય છે.

જ્યારે કોઈ રેપ સર્વાઇવર બળાત્કારની ફરિયાદ નોંધાવે ત્યારે તેમનાં પ્રાઇવેટ પાર્ટ, શરીર, કપડાં, ઘટનાસ્થળેથી મળી આવેલા વાળ કે પીડિતાનાં નખમાંથી મળેલી ચામડીનાં નમૂનામાંથી આરોપીનાં ડીએનએનો નમૂનો મેળવવામાં આવે છે.

જ્યારે કોઈ રેપ સર્વાઇવર બળાત્કારની ફરિયાદ નોંધાવે ત્યારે તેમનાં, પ્રાઇવેટ પાર્ટ, શરીર, કપડાં, ઘટનાસ્થળેથી મળેલા વાળ કે પીડિતાના નખમાંથી મળેલી ચામડીના નમૂનામાંથી આરોપીનાં ડીએનએનો નમૂનો મેળવવામાં આવે છે. ત્યારબાદ તેને સંદિગ્ધોના નમૂના સાથે સરખાવવામાં આવે છે.

ગુમ થઈ ગયેલી વ્યક્તિ, અકસ્માતે મૃત્યુ પામેલી વ્યક્તિ કે અજાણ્યા મૃતદેહની ડીએનએ પ્રોફાઇલ જાળવી રાખવામાં આવતી હોય છે. જે બાદમાં કોઈ સગાં કે સંબંધીના હાજર થતાં એના નમૂના સાથે સરખાવીને મૃતકની ચોક્કસ ઓળખ સાબિત કરવામાં આવે છે.

ડીએનએ પરીક્ષણ શું છે કેમ કરવામાં આવે, ડીએનએ પરીક્ષણ ક્યારે અને કેવી રીતે કરવામાં આવે, ઍર ઇન્ડિયાનું વિમાન એઆઈ 171 દુર્ઘટના, અમદાવાદથી લંડનની ફ્લાઇટ, બીજે મેડિકલ કોલેજ,  બીબીસી ગુજરાતી

ડીએનએનું પૂરું નામ ડીઑક્સિરાઇબોન્યૂક્લિક ઍસિડ છે. આ એક પ્રકારનું કેમિકલ છે, તે બે લાંબાં સ્ટ્રેન્ડ્સનું બનેલું હોય છે, તે સર્પાકારે એકબીજા સાથે ગોઠવાયેલાં હોય છે.

વ્યક્તિને તેનું ડીએનએ માતા-પિતા પાસેથી મળે છે. ‘આઇડેન્ટિકલ ટ્વિન્સ’ને બાદ કરતાં દરેક વ્યક્તિનું ડીએનએ અન્ય શખ્સ કરતાં અલગ હોય છે.

જો સરળ ભાષામાં કહીએ તો ડીએનએ શરીર માટેનું ‘ઇન્સ્ટ્રક્શન મૅન્યુઅલ’ની ગરજ સારે છે. જે શરીરનાં વિકાસ તથા પ્રજોત્પતિ સહિત દરેક કામને કરવા માટે જરૂરી છે. આપણી આંખ કે વાળનો રંગ, શરીરનો બાંધો, ચામડીનો વર્ણ વગેરે ડીએનએ થકી નિર્ધારિત થાય છે.

આપણું શરીર કરોડો કોષોનું બનેલું છે અને દરેકનાં ન્યુક્લિયસમાં ડીએનએ હોય છે. ડીએનનું ઘડતર A, T, G અને C એમ ચાર કૅરેક્ટરથી થાય છે. તેઓ પરસ્પર જોડી બનાવીને રહે છે. જેમ કે ‘ A અને T’ અને ‘G અને C’ તેને ‘બેઝ પેર’ તરીકે ઓળખવામાં આવે છે.

એક વ્યક્તિના શરીરમાં 300 કરોડ કરતાં વધુ અલગ-અલગ ‘બેઝ પેર’ હોય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS