Home તાજા સમાચાર gujrati કતારમાં રાસ લાફાન ઇન્ડસ્ટ્રિયલ સિટીમાં વિસ્ફોટને કારણે 12 ભારતીયોનાં મોત – ન્યૂઝ...

કતારમાં રાસ લાફાન ઇન્ડસ્ટ્રિયલ સિટીમાં વિસ્ફોટને કારણે 12 ભારતીયોનાં મોત – ન્યૂઝ અપડેટ

3
0

Source : BBC NEWS

કતારમાં રાસ લાફાન ઇન્ડસ્ટ્રિયલ સિટીમાં વિસ્ફોટને કારણે 12 ભારતીયોનાં મોત – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

વાંચવાનો સમય: 1 મિનિટ

કતારના રાસ લાફાન ઇન્ડસ્ટ્રિયલ સિટીમાં એક ફૅક્ટરીમા થયેલા વિસ્ફોટને કારણે 13 લોકોનાં મોત થયાં છે. જેમાં 12 ભારતીયો છે. અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી હતી.

દોહામાં આવેલા ભારતીય દૂતાવાસે ઍક્સ પર એક પોસ્ટમાં કહ્યું, “કતારના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે રવિવારે રાત્રે રાસ લાફાનમાં થયેલી દુર્ઘટનામાં 12 ભારતીય નાગરિકોના દુ:ખદ મૃત્યુ થયાં છે.”

દૂતાવાસે કતારના અધિકારીઓના હવાલેથી જણાવ્યું કે ઘાયલ લોકોની હાલત સ્થિર છે અને તેમની સારવાર ચાલી રહી છે.

કતારમાં આઠ લાખથી વધારે ભારતીય કામદારો રહે છે અને દર વર્ષે 1.3થી 1.9 અબજ ડૉલર કમાઈને ભારત મોકલે છે.

પાકિસ્તાનના પ્રવાસે જશે ઈરાની રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન, કયા મુદ્દે થશે વાતચીત?

પાકિસ્તાનના પ્રવાસે છે ઈરાની રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન, કયા મુદ્દે થશે વાતચીત? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Foad Ashtari/SOPA Images/LightRocket via Getty Image

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન મંગળવનારે પાકિસ્તાનના અધિકૃત પ્રવાસે હશે. તેની પુષ્ટિ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કરી છે.

બીબીસી ઉર્દૂના જણાવ્યા પ્રમાણે, મસૂદ પેઝેશ્કિયાન પોતાના પ્રવાસ દરમિયાન પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને વડા પ્રધાન શહબાઝ શરીફ સાથે મુલાકાત કરશે.

તેઓ સેનેટના ચૅરમૅન, સંસદના સ્પીકર અને વિદેશ મંત્રી ઇસ્હાક ડારની પણ મુલાકાત કરશે.

મંત્રાલયે આપેલી જાણકારી પ્રમાણે, “આ પ્રવાસમાં પાકિસ્તાન અને ઈરાન દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવામાં આવશે. વ્યાપાર, ઊર્જા, સરહદની સુરક્ષા તથા ક્ષેત્રીય જોડાણના નવા રસ્તાઓ પર ચર્ચા કરવામાં આવશે.”

આ પ્રવાસ એટલે માટે મહત્ત્વનો છે, કારણકે હાલમાં જ અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતી પર હસ્તાક્ષર થયા છે. સ્વિટ્ઝર્લૅન્ડમાં બંને પક્ષોની બેઠક પણ થઈ, આ દરમિયાન પાકિસ્તાને મધ્યસ્થની ભૂમિકા ભજવી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS