Home તાજા સમાચાર gujrati અફઘાનિસ્તાનમાં પાકિસ્તાને કરેલા હવાઈ હુમલા પર ભારતના વિદેશ મંત્રાલયે શું કહ્યું? –...

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાને કરેલા હવાઈ હુમલા પર ભારતના વિદેશ મંત્રાલયે શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

3
0

Source : BBC NEWS

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાને કરેલા હવાઈ હુમલા પર ભારતના વિદેશ મંત્રાલયે શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

વાંચવાનો સમય: 1 મિનિટ

ભારતે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના હવાઈ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી છે અને આ હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેને લઈને ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કર્યું છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે “ભારત અફઘાન ક્ષેત્રમાં પાકિસ્તાનના હવાઈ હુમલાની ઘોર નિંદા કરે છે, જેમાં ઘણા સામાન્ય નાગરિકો માર્યા ગયા છે. તેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે.”

ભારતે કહ્યું, “પાકિસ્તાનની આ ખુલ્લી આક્રામક કાર્યવાહી અફઘાનિસ્તાનની સંપ્રભુતા પર હુમલો છે અને ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતા માટે સીધું જોખમ છે.”

વિદેશ મંત્રાલયે કહ્યું છે કે આ હુમલા પાકિસ્તાનના ‘લાપરવાહ વ્યવહાર’ને દેખાડે છે અને તે પોતાની આંતરિક નિષ્ફળતાઓથી ધ્યાન ભટકાવવા માટે આવાં કામોનો સહારો લે છે.

આ ઉપરાતં ભારતે અફઘાનિસ્તાનની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતા પ્રત્યે પોતાના અતૂટ સમર્થનને ફરી વ્યક્ત કર્યું છે.

પાકિસ્તાની સેનાઓએ રવિવાર અને સોમવારની રાતે અફઘાનિસ્તાનમાં જમીની અને હવાઈ અભિયાન ચલાવવાની વાત કરી હતી. પાકિસ્તાન સરકારના જણાવ્યા પ્રમાણે, હુમલામાં 29 ચરમપંથી માર્યા ગયા હતા.

ત્યાં, અફઘાનિસ્તાનની તાલિબાન સરકારનો દાવો છે કે આ હુમલામાં ડઝનો નાગરિકો માર્યા ગયા, જેમાં બાળકો અને મહિલાઓ સામેલ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS