Home તાજા સમાચાર gujrati ગુજરાત: ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોક દરબાર યોજ્યો –...

ગુજરાત: ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોક દરબાર યોજ્યો – ન્યૂઝ અપડેટ

3
0

Source : BBC NEWS

ગુજરાત: ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે લોક દરબાર યોજ્યો

ઇમેજ સ્રોત, @AmitShah/x

પ્રકાશિત

વાંચવાનો સમય: 3 મિનિટ

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારના બોપલ, ઘુમા, શેલા અને આસપાસના વિસ્તારોના નાગરિકો માટે બોપલની બિકેએમ સ્કૂલ ખાતે ‘લોક દરબાર’નું આયોજન કરવામાં આવ્યું હતું.

સમાચાર એજન્સી એએનઆઈ આનુસાર, આ કાર્યક્રમમાં ગાંધીનગર લોકસભા સાંસદ અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અંકિત શાહ, ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શના વાઘેલા અને અમદાવાદના મેયર હિતેશ બારોટ ઉપસ્થિત રહ્યા હતા.

તાજેતરમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ, વરસાદી પાણીના નિકાલ (સ્ટોર્મ વોટર ડ્રેનેજ), રસ્તાઓ અને ટ્રાફિક મૅનેજમેન્ટ, નવી પાઇપલાઇન દ્વારા પીવાના પાણીની જોગવાઇ, ડ્રેનેજ લાઇન અને ઝોનલ લેવલની માળખાકીય સુવિધાઓ સહિતના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

લોક દરબારમાં ઉપસ્થિત નાગરિકોને સંબોધતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે આ વિસ્તારના નાગરિકો સાથે તેમનો સંબંધ 30 વર્ષથી વધુ સમયથી પ્રેમભર્યો અને પરિવાર જેવો રહ્યો છે.

તાજેતરમાં પડેલા આશરે 20-21 ઇંચ જેટલા ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, અણધાર્યા અને ભારે વરસાદને કારણે વિસ્તારના રહીશોને મુશ્કેલી પડી હતી.

તેમણે જણાવ્યું કે પૂરના પાણી ઓસર્યાના બીજા જ દિવસથી વરસાદી પાણીના કાયમી નિકાલ માટે ગ્રાઉન્ડ લેવલનું આયોજન શરૂ કરી દેવામાં આવ્યું હતું.

રહીશોને ખાતરી આપતા તેમણે કહ્યું કે એવું મજબૂત અને સમયબદ્ધ આયોજન કરવામાં આવ્યું છે કે જેથી ભવિષ્યમાં જો આ વિસ્તારમાં 30 ઇંચ જેટલો વરસાદ પડે તો પણ સોસાયટીઓ અને ઘરોમાં પાણી ન ભરાય.

“બોપલ, ઘુમા, શેલા અને આસપાસના નવા વિકસેલા વિસ્તારો માટે જસપુરથી પીવાના પાણીની પાઇપલાઇનની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેના દ્વારા આગામી સમયમાં તમામ રહીશોને પૂરતા પ્રમાણમાં નર્મદાનું શુદ્ધ પીવાનું પાણી મળશે.”

નેપાળમાં આવેલા પૂરમાં 90 અમેરિકનો ગુમ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે શું કહ્યું?

નેપાળમાં આવેલા પૂરમાં 90 અમેરિકનો ગુમ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે કહ્યું કે નેપાળના રસુવા જિલ્લામાં આવેલા પૂર બાદ તમામ શક્ય સહાય કરવાની જાહેરાત કરી છે.

ઍક્ઝિક્યુટિવ આદેશ પર હસ્તાક્ષર કરતી વખતે પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ નેપાળના શીર્ષ નેતૃત્વનો સંપર્ક કર્યો છે અને જરૂરી તમામ સહાયતા કરવાની વાત કરી છે.

આ વિનાશને અત્યંત ભયાનક ગણાવતા તેમણે કહ્યું કે તેમણે આ પહેલાં ક્યારેય આવું કંઈ જોયું નથી.

ટ્રમ્પે કહ્યું “અમે નેપાળ સાથે વાત કરી છે અને તેમને શક્ય તેટલી બધી મદદની ઑફર કરી છે. નેપાળ સાથે અમારા ખૂબ સારા સંબંધો છે. ત્યાં જે બન્યું તે અત્યંત ભયાનક હતું.”

“તે ફક્ત પાણી જ નહોતું, પરંતુ પાણી અને કાદવનું ખતરનાક મિશ્રણ હતું જે કદાચ પહેલાં ક્યારેય કોઈએ આવું જોયું નથી.”

“મજબૂત યોગ્ય રીતે બનેલી ઇમારતો પણ માચીસની લાકડીઓની જેમ વહી ગઈ.”

તેમણે વધુમાં કહ્યું કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે અને અમેરિકા મદદ મોકલી રહ્યું છે.

ટ્રમ્પે કહ્યું, “અમે ત્યાંના નેતૃત્વ સાથે વાત કરી છે અને તેમને કહ્યું છે કે અમે તેમને જે પણ મદદની જરૂર પડશે તે પૂરી પાડવા માટે તૈયાર છીએ.”

ટ્રમ્પે એમ પણ કહ્યું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં મોટી સંખ્યામાં અમેરિકન નાગરિકો હાજર હતા અને અમેરિકાને હજુ સુધી તમામ અસરગ્રસ્ત લોકોની સંપૂર્ણ યાદી મળી નથી.

અમેરિકાના વિદેશ મંત્રાલય અનુસાર, નેપાળમાં આવેલા પૂરથી લગભગ 90 અમેરિકન નાગરિકો પ્રભાવિત થયા છે.

નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર, દેશમાં પૂરને કારણે મૃત્યુઆંક 389 પર પહોંચી ગયો છે.

નેપાળના વડા પ્રધાન બાલેન શાહે કહ્યું છે કે બચાવકર્મીઓએ અત્યાર સુધીમાં લગભગ 600 લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા છે.

નેપાળ ટુરિઝમ બોર્ડે જણાવ્યું છે કે પૂર પછી 31 દેશોના 540 વિદેશી નાગરિકો ગુમ થયા છે.

આ વિસ્તારની મુલાકાત લેનારા પ્રવાસીઓમાં સૌથી વધુ સંખ્યા ભારતના છે જે 178 છે.

હાલમાં બનેલ તળાવ ઓવરફ્લો થવાનું ‘મોટું જોખમ’ : ચીનનું સ્ટેટ મીડિયા

હાલમાં બનેલ તળાવ ઓવરફ્લો થવાનું 'મોટું જોખમ' : ચીનનું સ્ટેટ મીડિયા

નેપાળ-તિબેટ સરહદ પર અન્ય એક નવું પૂર આવવાનું જોખમ રહેલું છે, જે રાહત અને બચાવ કામગીરીને વધુ મુશ્કેલ બનાવી શકે છે.

એએફપી ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ચીનની સરકારી ન્યૂઝ એજન્સી શિન્હુઆએ કહ્યું છે કે અચાનક આવેલા પૂર પછી બનેલું તળાવ ‘તૂટી જવાનું અને નીચેના વિસ્તારોમાં પૂરનું પાણી ઘૂસી જવાનું એક મોટું જોખમ સર્જાયું છે.

આ આગાહી સૂચવે છે કે “સતત વરસાદ વચ્ચે આગામી ત્રણ દિવસમાં તળાવમાં પાણીની આવક લગભગ 30 લાખ ક્યુબિક મીટર (3 બિલિયન લિટર) સુધી પહોંચી શકે છે” જે 1200 ઑલિમ્પિક-સાઇઝના સ્વિમિંગ પૂલ બરાબર છે.

સરકારી ન્યૂઝ એજન્સીએ વધુમાં ઉમેર્યું હતું કે આનાથી “ગીરોંગ પૉર્ટ અને નીચાણવાળા વિસ્તારોમાં વધુ નુકસાન થઈ શકે છે”.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS