Home તાજા સમાચાર gujrati અવકાશમાં પહોંચ્યો ભારતનો ઇઓએસ-05 ઉપગ્રહ, જાણો ખાસિયત

અવકાશમાં પહોંચ્યો ભારતનો ઇઓએસ-05 ઉપગ્રહ, જાણો ખાસિયત

4
0

Source : BBC NEWS

ઇઓએસ-05 ભારતનો પહેલો એવો ઇમેજિંગ ઉપગ્રહ છે, જે જિયોસિન્ક્રોનસ કક્ષામાંથી તસવીરો લેશે

ઇમેજ સ્રોત, @isro

પ્રકાશિત

વાંચવાનો સમય: 2 મિનિટ

જીએસએલવી-એફ17 રૉકેટે ઇઓએસ-05 ઉપગ્રહને સફળતાપૂર્વક તેની નિર્ધારિત કક્ષામાં સ્થાપિત કર્યો છે.

આ જીએસએલવીની 19મી ઉડાન હતી. ઇસરો મુજબ, આ મિશનમાં 4 મીટર વ્યાસ ધરાવતી કૉમ્પોઝિટ પૅલોડ ફેરિંગનો ઉપયોગ કરાયો હતો.

ઇઓએસ-05 એક પૃથ્વી અવલોકન ઉપગ્રહ છે. તેનો મુખ્ય હેતુ અવકાશમાંથી પૃથ્વીની તસવીરો મેળવવાનો અને પૃથ્વી પરની સ્થિતિનું સતત નિરીક્ષણ કરવાનો છે.

આ મિશનની સૌથી મોટી ખાસિયત એ છે કે ઇઓએસ-05 ભારતનો પહેલો એવો ઇમેજિંગ ઉપગ્રહ છે, જે જિયોસિન્ક્રોનસ કક્ષામાંથી તસવીરો લેશે.

સરળ ભાષામાં કહીએ તો, આ ઉપગ્રહ પૃથ્વીથી હજારો કિલોમીટર ઊંચાઈએ એવી કક્ષામાં રહેશે, જ્યાંથી તે વિશાળ વિસ્તાર પર સતત નજર રાખી શકશે.

સામાન્ય રીતે નીચી કક્ષામાં ફરતા ઉપગ્રહો કોઈ વિસ્તાર પરથી પસાર થાય ત્યારે તસવીરો લે છે, પરંતુ ઇઓએસ-05 તેની વિશેષ કક્ષાના કારણે કોઈ વિસ્તારનું વધુ સતત અને લાંબા સમય સુધી નિરીક્ષણ કરી શકશે.

ઉપગ્રહમાં વિવિધ પ્રકારનાં સેન્સર લગાવાયાં છે, જે વિઝિબલ, ઇન્ફ્રારેડ, મલ્ટિ-સ્પેક્ટ્રલ અને હાઇપર-સ્પેક્ટ્રલ તસવીરો મેળવવામાં મદદરૂપ થશે.

ભારત પાસે પહેલેથી જ અનેક પૃથ્વી અવલોકન ઉપગ્રહો છે, પરંતુ ઇઓએસ-05ને ખાસ કરીને જિયોસિન્ક્રોનસ કક્ષામાંથી ઇમેજિંગ માટે વિકસાવાયો છે, જે તેને મહત્ત્વનો બનાવે છે.

નીચી કક્ષામાં ફરતા ઉપગ્રહો કોઈ સ્થળની તસવીર લીધા પછી આગળ નીકળી જાય છે અને થોડા સમય બાદ ફરી તે વિસ્તાર ઉપર આવે છે.

જ્યારે જિયોસિન્ક્રોનસ કક્ષામાં રહેલો ઉપગ્રહ વિશાળ વિસ્તારમાં સતત નિરીક્ષણ કરી શકે છે. તેના કારણે હવામાન, કુદરતી આપત્તિઓ અને મોટા પાયે થતાં પરિવર્તનોની દેખરેખ રાખવામાં નોંધપાત્ર મદદ મળશે.

લૉન્ચિંગ બાદ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે, “જિયોસિન્ક્રોનસ કક્ષામાંથી ઇમેજિંગ કરનાર આ ભારતનો પ્રથમ ઉપગ્રહ છે. તે વિઝિબલ, ઇન્ફ્રારેડ, મલ્ટિ-સ્પેક્ટ્રલ અને હાઇપર-સ્પેક્ટ્રલ બૅન્ડમાં અદ્યતન ઇમેજિંગ સુવિધા આપશે.”

લગ્ન સમારંભ પર હુમલા અંગે જેડી વેન્સે કહ્યું: ‘ઈરાનના દાવાઓ પર શંકા’

આ હુમલો મંગળવારે રાત્રે દક્ષિણ ઈરાનના દરિયાકાંઠાના શહેર સિરિક નજીક થયો હતો. આ વિસ્તાર હોર્મુઝ સામુદ્રધુનીના કિનારે આવેલો છે

ઇમેજ સ્રોત, Tasnim

અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે ગુરુવારે જણાવ્યું કે અમેરિકા તે હવાઈ હુમલાની તપાસ કરી રહ્યું છે, જેના વિશે ઈરાને દાવો કર્યો છે કે દક્ષિણ ઈરાનના સિરિક વિસ્તારમાં થયેલા એક લગ્ન સમારંભને નિશાન બનાવાયો હતો.

વેન્સે કહ્યું, “અમે આ ઘટનાની તપાસ કરી રહ્યા છીએ, કારણ કે આ મામલે અમને ચિંતા છે. અમે જાણવા માગીએ છીએ કે હકીકતમાં શું બન્યું હતું.”

વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે જો અમેરિકાની સેનાથી કોઈ ભૂલ થાય છે, તો અમેરિકા તેની તપાસ કરે છે અને તેમાંથી શીખવાનો પ્રયાસ કરે છે.

તેમણે વધુમાં કહ્યું, “અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ, પરંતુ સમગ્ર સંઘર્ષ દરમિયાન ઈરાનના સરકારી મીડિયાએ હંમેશાં વિશ્વસનીય માહિતી આપી હોય તેવું નથી. તેથી આ દાવા અંગે મને ઘણી શંકા છે.”

ઈરાનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, દક્ષિણ ઈરાનમાં થયેલા અમેરિકન હુમલામાં એક લગ્ન સમારંભ દરમિયાન પાંચ લોકોનાં મોત થયાં હતાં અને આશરે 70 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં એક બાળક અને ત્રણ મહિલાનો પણ સમાવેશ થાય છે.

આ હુમલો મંગળવારે રાત્રે દક્ષિણ ઈરાનના દરિયાકાંઠાના શહેર સિરિક નજીક થયો હતો. આ વિસ્તાર હોર્મુઝ સામુદ્રધુનીના કિનારે આવેલો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS