Source : BBC NEWS
ઇમેજ સ્રોત, MEHDI MARIZAD/FARS NEWS/AFP via Getty Images
પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ
ઓમાનના દરિયાકિનારે રવિવારે એક કૉમર્શિયલ જહાજ એમટી અલ ગાઈયા પર હુમલો થયો છે, જેના પર 14 ચાર ભારતીય ક્રૂ મેમ્બર સવાર હતા. તેમાંથી 13 ભારતીયોને સુરક્ષિત બચાવી લેવાયા છે, જ્યારે એકનો હજુ પતો નથી મળ્યો.
વિદેશ મંત્રાલયે જહાજ પર થયેલા હુમલાની ટીકા કરી છે. મંત્રાલયે જણાવ્યું કે ઓમાનમાં ભારતીય દૂતાવાસ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહ્યું છે અને લાપતા ભારતીયના શોધ અને બચાવ અભિયાનમાં ઓમાનના અધિકારીઓ સાથે સમન્વય સાધે છે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે “અમે ઓમાનના કિનારે કૉમર્શિયલ જહાજ એમટી અલ ગાઈયા પર થયેલા હુમલાની ટીકા કરીએ છીએ. જહાજ પર સવાર 14 ભારતીય ચાલકદળના સભ્યોમાંથી 13 ભારતીયોને બચાવી લેવાયા છે. લાપતા ભારતીયની શોધખોળ અને બચાવ અભિયાન ચાલુ છે.”
મંત્રાલયે કહ્યું કે “અમે તણાવને તાત્કાલિક ઘટાડવા અને ક્ષેત્રમાં શાંતિ લાવવા માટે વાતચીત અને કૂટનીતિનો રસ્તો અપનાવવાની ફરી અપીલ કરીએ છીએ. આ ક્ષેત્રમાં કૉમર્શિયલ જહાજો, નાવિકો અને સામાન્ય લોકોને નિશાન બનાવાય તે સ્વીકારી શકાય નહીં.”
મહિલા એશિયા કપમાં ભારતની જીત પર પીએમ મોદીએ શું કહ્યું?
ઇમેજ સ્રોત, Patrick van Katwijk/Getty Images
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે મહિલા એશિયા કપ 2026ની ફાઇનલમાં શ્રીલંકાને 72 રનથી હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો છે.
ટીમ ઇન્ડિયાની આ જીત પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા ટીમને અભિનંદન પાઠવ્યા અને તેને ભારતીય ક્રિકેટ માટે ગૌરવની ક્ષણ ગણાવી.
વડા પ્રધાન મોદીએ સોમવારે સવારે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક પોસ્ટમાં લખ્યું કે “ભારતીય ક્રિકેટ માટે ગૌરવની ક્ષણ. એશિયા કપ જીતવા પર મહિલા ટીમને અભિનંદન. સમગ્ર ટુર્નામેન્ટમાં તેમનો આત્મવિશ્વાસ, સતત સારું પ્રદર્શન અને શાનદાર મિજાજ જોવા મળ્યો.”
તેમણે લખ્યું કે “આ જીત દેશના લાખો યુવાનોને રમત રમવા અને આગળ વધવા માટે પ્રેરિત કરશે.”
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી આ ફાઇનલમાં ટ્રૉફીને લગતો વિવાદ પણ થયો છે. ભારતીય ટીમે એસીસીના વડા અને પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીના હાથે ટ્રૉફી સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.
યુકેના પૂર્વ વડા પ્રધાન પસાર થયા પછી તરત યુક્રેની ટીમ પર રશિયાનો હુમલો
ઇમેજ સ્રોત, Reuters
યુક્રેનમાં પોલૅન્ડની સરહદે યાહોદીન વિસ્તારમાં એક પ્રવાસી ટ્રેન પર રશિયન ડ્રૉન દ્વારા હુમલો કરાયો છે. આ હુમલામાં ટ્રેનના એન્જિનને નુકસાન થયું છે, પરંતુ કોઈ જાનહાનિના સમાચાર નથી.
મહત્ત્વની વાત એ છે કે બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જૉન્સન અને યુરોપના અગ્રણી સુરક્ષા અધિકારીઓનો કાફલો આ રેલ માર્ગ પરથી એક ટ્રેનમાં થોડા કલાકો અગાઉ જ પસાર થયો હતો.
યુક્રેનના અધિકારીઓએ કહ્યું કે યાહોદીનમાં જે જગ્યાએ હુમલો થયો, તે સ્થળ પોલૅન્ડની સરહદથી લગભગ બે કિલોમીટર દૂર છે.
બોરિસ જૉન્સનની સાથે યુરોપીયન દેશોના કેટલાક રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો પણ આ રેલ માર્ગ પરથી સપાર થયા હતા.
તેમાં બ્રિટનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોનાથન પૉવેલ પણ સામેલ હતા. તેઓ કિએવમાં એક સંમેલનમાં ભાગ લઈને પરત આવતા હતા.
રશિયાએ આ હુમલાની પુષ્ટિ કરી છે. રશિયાના કહેવા મુજબ પશ્ચિમ યુક્રેનમાં રેલવે માળખાને નિશાન બનાવીને આ હુમલો કરવામાં આવ્યો હતો.
જોકે, યુક્રેનની સરકારી રેલવે કંપનીએ આશંકા વ્યક્ત કરી છે કે ડ્રૉન હુમલાનો વાસ્તવિક લક્ષ્ય રાજદ્વારી અધિકારીઓને લઈ જતી ટ્રેન હોઈ શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




