Home તાજા સમાચાર gujrati નેપાળ પૂર: સેટેલાઇટ ઇમેજથી સામે આવી વિનાશની ભયાનક તસવીરો – ન્યૂઝ અપડેટ

નેપાળ પૂર: સેટેલાઇટ ઇમેજથી સામે આવી વિનાશની ભયાનક તસવીરો – ન્યૂઝ અપડેટ

2
0

Source : BBC NEWS

નેપાળ પૂર: સેટેલાઇટ ઇમેજથી સામે આવી વિનાશની ભયાનક તસવીરો

ઇમેજ સ્રોત, Vantor/Handout via REUTERS

પ્રકાશિત

વાંચવાનો સમય: 3 મિનિટ

નેપાળ-તિબેટ સરહદ પર પૂર અને ભૂસ્ખલનને કારણે થયેલા ભારે વિનાશનો અંદાજ સૅટેલાઇટ તસવીરો પરથી લગાવી શકાય છે.

પૂર પહેલાં અને પછીની તસવીરોમાં ઘણાં શહેરો અને ગામડાંમાં વિનાશનું ચિત્ર જોઈ શકાય છે.

ગયા મહિનાની સૅટેલાઇટ તસવીરોમાં નેપાળના તિમૂરે વિસ્તારમાં નદી કિનારે રંગબેરંગી ઇમારતો દેખાતી હતી. પરંતુ હવે ફક્ત કેટલીક ઇમારતો જ બચી છે. આ વિસ્તાર કાદવ, પાણી અને ખડકોથી ઢંકાઈ ગયો છે.

નેપાળ પૂર: સેટેલાઇટ ઇમેજથી સામે આવી વિનાશની ભયાનક તસવીરો

ઇમેજ સ્રોત, Vantor/Handout via REUTERS

નેપાળ પૂર: સેટેલાઇટ ઇમેજથી સામે આવી વિનાશની ભયાનક તસવીરો

ઇમેજ સ્રોત, Vantor/Handout via REUTERS

ત્રિશુલી નદી પર આવેલ રસુવાગઢી હાઇડ્રોપાવર પ્લાન્ટ થોડા સમય પહેલાં એક સમૃદ્ધ ઔદ્યોગિક સ્થળ હતું. હવે ઉપરથી જોતાં તેનું નામ નિશાન નથી દેખાતું.

નેપાળ પૂર: સેટેલાઇટ ઇમેજથી સામે આવી વિનાશની ભયાનક તસવીરો

ઇમેજ સ્રોત, Vantor/Handout via REUTERS

નેપાળ પૂર: સેટેલાઇટ ઇમેજથી સામે આવી વિનાશની ભયાનક તસવીરો

ઇમેજ સ્રોત, Vantor/Handout via REUTERS

રિલાયન્સે સુભાષ ચંદ્રાના આરોપોને ‘પાયાવિહોણા’ ગણાવ્યા, મીડિયા સંગઠનો સામેના આરોપોને નકાર્યા

રિલાયન્સે સુભાષ ચંદ્રાના આરોપોને 'પાયાવિહોણા' ગણાવ્યા, મીડિયા સંગઠનો સામેના આરોપોને નકાર્યા

ઇમેજ સ્રોત, Getty Images

મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળના રિલાયન્સ ગ્રૂપે શુક્રવારે મીડિયા ઉદ્યોગપતિ અને એસ્સેલ ગ્રૂપના ચૅરમૅન સુભાષ ચંદ્રા દ્વારા રિલાયન્સ ગ્રૂપ સાથે જોડાયેલા મીડિયા હાઉસ સામે લગાવવામાં આવેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા.

રિલાયન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “રિલાયન્સ ગ્રૂપ સાથે સંકળાયેલા મીડિયા સંગઠનો સામે કરવામાં આવેલા આરોપો અને પ્રહારોને તે સંપૂર્ણપણે નકારી કાઢે છે.”

રિલાયન્સ ગ્રૂપે કહ્યું કે તેના મીડિયા બ્રાન્ડ્સનો ઉપયોગ ક્યારેય કોઈના પર હુમલો કરવા માટે કરવામાં આવ્યો નથી અને ભવિષ્યમાં પણ કરવામાં આવશે નહીં.

રિલાયન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગ્રૂપ સુભાષ ચંદ્રાને એક ઉદ્યોગપતિ અને ઉદ્યોગસાહસિક તરીકે ખૂબ માન આપે છે અને તેમના ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવે છે.

વાસ્તવમાં, સુભાષ ચંદ્રાએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણી અને ગ્રૂપની મીડિયા કંપનીઓ પર તેમના દેવા અને તાજેતરની એનસીએલટી કાર્યવાહી વિશે ભ્રામક માહિતી ફેલાવવાનો આરોપ મૂક્યો છે.

મોહન ભાગવતના કાર્યક્રમ સામેના વિરોધ વચ્ચે ઝોહરાન મમદાનીની આ તસવીરો

મોહન ભાગવતના કાર્યક્રમ સામેના વિરોધ વચ્ચે ઝોહરાન મમદાનીની આ તસવીરો

ઇમેજ સ્રોત, NYCMayor

ન્યૂ યૉર્ક શહેરના મેયર ઝોહરાન મમદાનીએ શુક્રવારે રક્ષાબંધનની ઉજવણી કરી, તેમણે ઍક્સ પર પોસ્ટ કરીને આ વિશે માહિતી શેર કરી હતી.

તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર રાખડી બંધાવવાની તસવીરો પણ શેર કરી હતી.

ઝોહરાન મમદાનીએ લખ્યું, “રાખડીનો એક નાનો દોરો દરેક પરિસ્થિતિમાં રક્ષણ, મદદ અને સાથે ઊભા રહેવાના મજબૂત વચનનું પ્રતીક છે.”

ઝોહરાન મમદાનીએ કહ્યું કે તેમણે આ ખાસ પ્રસંગે ઇન્ડિયા હોમનાં વૃદ્ધો સાથે ક્ષણો વિતાવી હતી.

વાસ્તવમાં, ઝોહરાન મમદાનીએ મંગળવારે કહ્યું હતું કે તેઓ મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં યોજાનાર પ્રસ્તાવિત કાર્યક્રમને સમર્થન આપતા નથી, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવત ભારતીય પ્રવાસીઓને સંબોધિત કરશે.

તેમના આ નિવેદન બાદ ભાજપના કેટલાક નેતાઓએ તેમને હિન્દુ વિરોધી કહ્યા હતા.

હાલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવત અમેરિકામાં છે અને તેઓ આજે એટલે કે શનિવારે ભારતીય પ્રવાસીઓને સંબોધિત કરશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS