Home તાજા સમાચાર gujrati પાકિસ્તાન : કરાચીમાં રેન્જર્સ કાર્યાલય નજીક વિસ્ફોટ, અનેક લોકો ઘાયલ – ન્યૂઝ...

પાકિસ્તાન : કરાચીમાં રેન્જર્સ કાર્યાલય નજીક વિસ્ફોટ, અનેક લોકો ઘાયલ – ન્યૂઝ અપડેટ

2
0

Source : BBC NEWS

પાકિસ્તાન : કરાચીમાં રેન્જર્સ કાર્યાલય નજીક વિસ્ફોટ, અનેક લોકો ઘાયલ – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Reuters

પ્રકાશિત

વાંચવાનો સમય: 1 મિનિટ

પાકિસ્તાનના કરાચીના ગુલિસ્તાન-એ-જૌહર વિસ્તારમાં સ્થિત રેન્જર્સ કાર્યાલય નજીક થયેલા વિસ્ફોટ અને ગોળીબારની ઘટનામાં અનેક લોકો ઘાયલ થયાના સમાચાર છે.

આ ઘટના શનિવારે રાત્રે ગુલિસ્તાન-એ-જૌહરના બ્લૉક-પાંચમાં સ્થિત સચલ રેન્જર્સ ભવન નજીક ઘટી હતી. પ્રત્યક્ષદર્શીઓએ બીબીસીને જણાવ્યું કે સૌપ્રથમ વિસ્ફોટનો અવાજ સંભળાયો, ત્યારબાદ વચ્ચે-વચ્ચે ગોળીબાર થયો.

વિસ્ફોટના પ્રકાર અને જાનમાલના નુકસાન વિશે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. અધિકારીઓનું કહેવું છે કે ઘટનાની તપાસ ચાલી રહી છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘટના બાદ આ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને તપાસ એજન્સીઓ પણ ઘટનાસ્થળે પહોંચી પુરાવા એકત્ર કરી રહી છે.

રૅસ્ક્યૂ 1122ના પ્રવક્તા અનુસાર, કેન્દ્રીય કમાન્ડ અને કંટ્રોલરૂમને માહિતી મળતાની સાથે જ રાહત-બચાવ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

રૅસ્ક્યૂ ટીમના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં અત્યાર સુધીમાં ત્રણ લોકો ઘાયલ થયા છે.

ઘટનાસ્થળે હાજર રૅસ્ક્યૂ 1122ના સીઈઓ ડૉ. આબિદ જલાલે બીબીસીને જણાવ્યું કે ગ્રૅનેડ સૌપ્રથમ રેન્જર્સના કાર્યાલયમાં ફેંકવામાં આવ્યો હતો, ત્યારબાદથી ગોળીબાર ચાલુ છે.

તેમણે શનિવાર સાંજે જણાવ્યું કે અત્યાર સુધીમાં બે રેન્જર્સના કર્મચારીઓને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ ગોળીબાર હજુ પણ ચાલુ છે. સાવચેતીના ભાગરૂપે કોઈને પણ ઘટનાસ્થળે જવાની મંજૂરી આપવામાં આવી રહી નથી.

સિંધ સરકારના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, સિંધના મુખ્ય મંત્રી સૈયદ મુરાદ અલી શાહે પોલીસ પાસેથી ઘટનાનો વિગતવાર રિપોર્ટ માંગ્યો છે.

પ્રવક્તાએ જણાવ્યું કે સિંધના મુખ્ય મંત્રીએ નિર્દેશ આપ્યો છે કે ઘટના વિશે તાત્કાલિક તપાસ થાય.

આતંકવાદી જૂથ જમાત-ઉલ-અહરાર સાથે સંકળાયેલા એક જૂથે આ હુમલાની જવાબદારી લીધી છે. જૂથે એવો પણ દાવો કર્યો છે કે હુમલો હજુ પણ ચાલુ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS